નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવાયા એનસીપી નેતા નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાબ મલિકે જણાવ્યું કે તેમને એન્ડોસ્કોપી અને સર્જરી માટે 31 માર્ચ 2021ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.  આવામાં એનસીપી પ્રમુખના તમામ કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરાયા છે. આ સાથે જ મલિકે એ  પણ જાણકારી આપી કે હોસ્પિટલ તરફથી સલાહ બાદ શરદ પવારને લોહી પાતળું કરવાની જે દવા અપાઈ રહી હતી તે બંધ કરવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube