વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ને લઇને વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા દઇ રહ્યાં છે. તે દરમિયાન રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી એકજુટતા દેખાડવાનો પ્રયાસ થશે. નોમિનેશન દરમિયાન ગઠબંધનના દરેક પ્રમુખ ઘટક દળના નેતા હાજર રહેશે. નામાંકન પત્ર ભરતા સમયે પીએમ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટી સુપ્રીમો રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પ્રકાશ સિંહ બાદલ સામેલ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા અમારી પાસે નથીઃ NIA કોર્ટ


આ ઉપરાંત પૂર્વોત્તરના સહયોગિઓ પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. નોમિનેશનમાં અઆઇડીએમકેના નેતાની સાથે-સાથે, અપના દળના અનુપ્રિયા પટેલ અને આશીષ પટેલ ઉપરાંત અસમ ગણ પરિષદના નેતા પણ હાજરી આપશે.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


એનડીએ નેતાઓના વારાણસી આવવાની જાણકારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ આપી છે. તેમણે કહ્યું કે ગઠબંધનના દરેક ઘટક દળના વરિષ્ઠ નેતા 26 એપ્રિલે વારાણસી આવશે.


#MODIWITHAKSHAY : PM Modi Live, અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ, VIDEO


અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલની સવાલે 11:30 મિનિટ પર વારાણસીમાં નામાંકન નોંધાવશે. તે પહેલા 25 એપ્રિલે વારાણસીમાં લંકાથી દશાશમેઘ ઘાટ સુધી રોડ શો કરશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...