નવી દિલ્હી: ભીષણ દુષ્કાળનો સામનો કરી રહેલા કર્ણાટકને રાહત  પેકેજની મંજૂરી માટે કેન્દ્રમાં નવી સરકારની રચના થાય તેની રાહ જોવી પડશે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. કેન્દ્ર સરકારની એક ટીમ દુષ્કાળના કારણે રવિ પાકને થયેલા નુકસાનનું આકલન કરી ચૂકી છે અને કેન્દ્રીય કૃષિ મંત્રાલયને તેનો વિસ્તૃત રિપોર્ટ સોંપાઈ ચૂક્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સોંપાયેલા એક મેમોરેન્ડમમાં સરકાર પાસે 2064 કરોડ રૂપિયાની નાણાકીય મદદની માગણી કરી હતી જેથી કરીને દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતોને મદદ મળી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાપુડમાં દલિત મહિલા પર ગેંગરેપ, FIR નોંધવાની પોલીસે આનાકાની કરતા મહિલાએ પોતાને જ આગ લગાવી


ચૂંટણીના કારણે પેકેજ આપવામાં થઈ રહ્યો છે વિલંબ
સૂત્રોના જણાવ્યાં મુજબ 'કેન્દ્રીય ટીમ રિપોર્ટ આપી ચૂકી છે અને ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરની સમિતિએ તેના પર નિર્ણય કરવાનો છે.' સૂત્રએ જો કે કહ્યું કે આદર્શ આચાર  સંહિતા કેન્દ્ર સરકારને ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરતા રોકી શકે નહીં પરંતુ એવું લાગે છે કે બેઠક નવી સરકારની રચના બાદ જ થશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...