પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. નવા સંસદ ભવનના ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ લોકસભા સ્પીકર સાથે નવા સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. કાર્યક્રમની શરૂઆતમાં અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના દંડવત પ્રણામ
ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો. રાજદંડ હાથમાં લેતા પહેલા પીએમ મોદીએ સેંગોલને દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ  બિરલા સાથે નવા સંસદ ભવનમાં સેંગોલને સ્થાપિત કર્યો. સમારોહની શરૂઆત હવન પૂજા સાથે થઈ હતી. 


પીએમ મોદીએ શ્રમજીવીઓને કર્યા સન્માનિત
નવા સંસદ ભવનમાં સેંગોલને સ્થાપિત કર્યા બાદ પીએમ મોદીએ આ ભવનનું નિર્માણ કરનારા શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શ્રમજીવીઓને સન્માનિત કર્યા. સેંગોલને લોકસભા અધ્યક્ષના આસન પાસે સ્થાપિત કર્યા બાદ પીએમ મોદીએ અધીનમના આશીર્વાદ લીધા. 


પીએમ મોદીના સાષ્ટાંગ દંડવત પ્રણામ, જુઓ Video



શું છે આ સેંગોલ? 
 શું તમે જાણો છોકે, આ સેંગોલ શું છે? તેની રચના કોણે કરી હતી? આ સેંગોલ શેનું પ્રતીક છે? શા માટે તેને નવા સંસદ ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે? આવા તમામ સવાલોના જવાબો આ આર્ટિકલમાં મળશે. વાસ્તવમાં સેંગોલ એ એક આઝાદીનું પ્રતીક છે. ભારતના ગૌરવ અને સન્માન સાથે તે જોડાયું છે. આ પ્રતીકને હવે નવા સંસદ ભવનમાં સ્થાન અપાયું છે. ત્યારે આપણે પણ જાણીશું કે આખરે આ સેંગોલ શું છે?  નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં તેનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે?


28 મે ના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થયું. ત્યારે ભારતની સ્વતંત્રતાનું "નોંધપાત્ર ઐતિહાસિક" પ્રતીક આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણોમાંનું એક પ્રતીક છે સેંગોલ. આ પ્રતીક, બ્રિટિશ રાજાના પૂર્વજોની શક્તિની ચમકદાર વસ્તુઓની જેમ, એક સોનેરી પ્રભાવશાળી રાજદંડ છે જેને "સેંગોલ" કહેવાય છે (જે તમિલ શબ્દ સેમાઈ પરથી આવ્યો છે, જેનો અર્થ સચ્ચાઈ થાય છે). આ સેંગોલ, જેની ઉત્પત્તિ તમિલ ઇતિહાસ અને પરંપરાઓમાંથી શોધી શકાય છે અને જે 'સત્તા અને ન્યાય'નું પ્રતિનિધિત્વ કરે છે. 



ભારતની આઝાદી સાથે સેંગોલનું વિશેષ જોડાણ:
દેશને આઝાદી મળી હતી. હવે માત્ર ઔપચારિકતાઓ પૂરી કરવાની હતી. દરમિયાન, એક દિવસ છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને (Louis Mountbatten) જવાહરલાલ નેહરુને (Jawaharlal Nehru) એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, જેમને વડાપ્રધાન પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું મિસ્ટર નેહરુ સત્તાના હસ્તાંતરણ સમયે તમને શું ગમશે? કોઈ વિશિષ્ટ પ્રતીક અથવા ધાર્મિક વિધિનું પાલન કરશો? જો કોઈ હોય તો અમને જણાવો. આ પછી નેહરુ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓને કંઈ સમજાયું નહીં. વિદ્વાન નેહરુએ સપનામાં પણ આ બાબતોનો વિચાર આવ્યો નહોતો.


અત્યારસુધી સેંગોલ ક્યાં રાખવામાં આવ્યું હતું?
તે 1947 થી અલ્હાબાદના એક સંગ્રહાલયમાં સાચવેલું હતું.


ભૂતકાળમાં સેંગોલનું શું મહત્વ હતું?
ચોલ વંશના સમયથી આવા રાજદંડનો ઉપયોગ રાજાઓના રાજ્યાભિષેકમાં થતો હતો. તે ઔપચારિક ભાલા તરીકે સેવા આપતું હતું અને સત્તાનું પવિત્ર પ્રતીક માનવામાં આવતું હતું, જે એક શાસકથી બીજામાં સત્તાના સ્થાનાંતરણનું પ્રતિનિધિત્વ કરે છે. જેને 'સેંગોલ' આપવામાં આવે છે તે ન્યાયી અને નિષ્પક્ષ શાસનની અપેક્ષા રાખે છે.



સેંગોલ કોને આપવામાં આવ્યું હતું?
સેંગોલ તૈયાર થયા પછી પૂજારીઓએ તેને ગંગાજળથી અભિષેક કરાયો હતો. ગૃહ પ્રધાન શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, “14 ઓગસ્ટ, 1947ના રોજ રાત્રે લગભગ 10.45 વાગ્યે, સ્વર્ગસ્થ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને તમિલનાડુમાંથી આ સેંગોલ મળ્યો હતો અને ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે આઝાદી હાંસલ કરવાના પ્રતીક તરીકે સ્વીકાર્યું હતું. બ્રિટિશરો પાસેથી આ દેશના લોકોમાં સત્તા પરિવર્તનની નિશાની છે.” રાજદંડ સોંપવામાં આવ્યો ત્યારે એક વિશેષ ગીત રચવામાં આવ્યું અને રજૂ કરવામાં આવ્યું.


આજે સેંગોલ શું છે?
સેંગોલને પ્રામાણિકતાના રાજદંડ તરીકે મહત્વ આપવામાં આવ્યું છે. તે ભારતની વિવિધતા અને એક મહાન રાષ્ટ્રના જન્મની યાદ અપાવે છે.


સેંગોલ શું છે?
પાંચ ફૂટ લંબાઈના આ સોનાના કોટેડ ચાંદીના રાજદંડમાં ટોચ પર એક જટિલ કોતરણીવાળી 'નંદી' છે, જે ન્યાયના ખ્યાલને રજૂ કરવા માટે છે.


તે ક્યારે અને કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું?
તે 1947 માં સ્વતંત્રતા સમયે બનાવવામાં આવ્યું હતું, જ્યારે અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી હતી. તે ચેન્નાઈના વિખ્યાત જ્વેલર્સ, વુમ્મિડી બંગારુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.