નવી દિલી: બાંગ્લાદેશ સ્થિત જમાત-ઉલ-મુજાહિદ્દીન (જેઇએમ) નામના એક આતંકી સંગઠન ભારતમાં મોટા આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર બનાવી રહ્યું છે. તેમના આ ષડયંત્રને અંજામ આપવા માટે જેઇએમએ પશ્ચિમ બંગાળમાં હાજર તેમના ગુર્ગોને સક્રિય કર્યા છે. જેઇએમના આ ષડયંત્રનો ખુલાસો રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ કાદર કાઝી અને સજ્જાદ અલી નામના બે આરોપીઓની ધરપકડ બાદ કર્યો છે. બંને આરોપીઓનું એનઆઇએએ આરામબાગ (પશ્ચિમ બંગાળ) વિસ્તારથી ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શશિ થરૂરએ આ તસ્વીરની સાથે કર્યું ટ્વિટ- ‘સબ નંગે હૈ’, યૂપીના મંત્રીએ આપ્યો આ જવાબ


જપ્ત કરવામાં આવ્યો આઇઇડી બનાવવાનો સામાન
એનઆઇએથી જોડાયેલા સુત્રોના અનુસાર, ધરપકડ કરવામાં આવેલા સજજાદ અલી નામના આરોપી પાસેથી એનઆઇએની બેટરી, વાયર, ઇલેક્ટ્રિક સક્રિટ, ઇલેક્ટ્રોનિક ક્લોક અને ઘડિયાર જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા સામાનનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે આઇઇડી બનાવવા માટે કરવાનો હતો. આઇઇડી બનાવવા માટે બંને આરોપીઓએ પશ્ચિમ બંગાળના આરામબાગ વિસ્તારમાં સ્થિત એક બાંધકામ હેઠળ ત્રણ માળની બિલ્ડિંગને તેમને સ્થળ બનાવી રાખ્યું હતું. આ સ્થળેથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.


વધુમાં વાંચો: સુપ્રીમ કોર્ટની કાર્તિ ચિદમ્બરમને ચેતાવણી, ‘જો તમે કાયદાની સાથે છેડછાડ કરશો તો ભગવાન પણ તેમને બચાવી શકશે નહીં’


5 લાખનું ઇનામ છે કદાર કાઝી
એનઆઇએ અનુસાર 32 વર્ષીય કાદર કાઝી મૂળ પશ્ચિમ બંગાળના વીરભૂમિ વિસ્તારનો નિવાસી છે. સુરક્ષા એજન્સીઓની ધરપકડથી બચવા માટે તે ક્યારેક મિઝાનુર રહેમાન બની જાતો હતો, તો ક્યારેક પોતાની ઓળખ છુપાવવા હાનુર મંડળ જણાવતો હતો. એનઆઇએએ બૂર્દવાન બ્લાસ્ટ કેસમાં કાદર કાઝીની સીધી સામેલગીરી મેળવી છે. ત્યારબાદ બૂર્દવાન બ્લાસ્ટ કેસમાં નામાંકન કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ધરપકડથી બચી રહેલા કાદર કાઝી પર એનઆઇએએ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેરાત કરી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...