નવી દિલ્હીઃ Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે લગભગ 1 કલાક ચાલેલી સુનાવણી બાદ નિર્ભયાના દોષીતોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. નવા ડેથ વોરંટ અનુસાર 3 માર્ચે સવારે 6 કલાકે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા બપોરે 2 કલાકે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે, 3 દોષીતો અક્ષય, વિનય અને મુકેશની અરજી નકારી દેવામાં આવી છે. એક દોષી પવન તરફથી આ મામલામાં દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની બાકી છે. સરકારી વકીલે કહ્યું કે, હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલો એક સપ્તાહનો સમય 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગયો છે. તેમણે દલીલ આપી કે હાલ કોઈપણ દોષીની કોઈપણ અરજી કોઈ કોર્ટમાં પેન્ડિંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જારી કરી શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...