ઝી મીડિયા/બ્યૂરો :આજે સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દેવામાં આવી. મેડિકલ ટીમે ચારેયના મૃતદેહોની તપાસ કરીને તેઓને ફાંસીના માંચડા પરથી ઉતાર્યા હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સના માધ્યમથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. તો પાંચ ડોક્ટરોની ટીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MPમાં કમલનાથના માથે મોટું સંકટ, ફ્લોર ટેસ્ટ પહેલા કરી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત


તો ફાંસી બાદ અક્ષયનો પરિવાર દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચ્યો હતો. અક્ષયના ભાઈનું કહેવું છે કે, તેઓ અક્ષયની ડેડ બોડી બિહાર લઈ જવા માંગે છે. પરંતુ તેની પાસે તેને લઈ જવા માટે રૂપિયા નથી. ઉલ્લેખનીય છે કે, ચારેય મૃતદેહોના પોસ્ટમોર્ટમમાં ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે છે.


નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત


તો જાણવા મળ્યું છે કે, ચારેય દોષિતોએ જેલમાં જે કમાણી કરી હતી તે પરિવારને સોંપવામાં આવશે. તો નિર્ભયાના દોષિતોને ફાંસી પહેલા કેટલાક કેદીઓએ જેલનો માહોલ પણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તિહાર જેલમાં તમિલનાડુ પોલીસ ફ્લેગમાર્ચ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...