નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી બની જવાની ધારણાને ફગાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે. તેમણે કહ્યું કે, "આ પાર્ટી ફક્ત અટલજીની કે ક્યારેય અડવાણીજીની પણ નથી બની. આ પાર્ટી ક્યારેય ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી પણ ન બની શકે. તેમણે કહ્યું કે ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે અને ભાજપ મોદી કેન્દ્રીત પાર્ટી બની ગઈ છે તે કહેવું ખોટું છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી અને ભાજપ એકબીજાના પૂરક
ભાજપના વરિષ્ઠ નેતા તથા પૂર્વ અધ્યક્ષે  લોકસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશની આશંકાઓને પણ ફગાવી અને દાવો કર્યો કે ભાજપને ગત વખત કરતા પણ વધુ સીટો મળશે. અહીં પોતાના નિવાસસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બંને એકબીજાના પૂરક છે. 


શું ભાજપમાં 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દિરા'ની જેમ જ 'મોદી એટલે ભાજપ અને ભાજપ એટલે મોદી' વાળી સ્થિતિ પેદા થઈ ગઈ છે? આ સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું કે, "ભાજપ જેવી પાર્ટી વ્યક્તિ કેન્દ્રિત ક્યારેય હોઈ શકે નહીં. તે વિચારધારા પર આધારિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં પરિવાર રાજ હોઈ શકે નહીં. ભાજપ મોદી કેન્દ્રિત પાર્ટી બની ગઈ છે તે ધારણા  ખોટી છે. પાર્ટીનું સંસદીય દળ છે જે તમામ મહત્વના નિર્ણયો લે છે." તેમણે તર્ક આપ્યો કે પાર્ટી અને તેના નેતા એકબીજાના પૂરક છે.


તેમણે કહ્યું કે, "પાર્ટી ખુબ મજબુત હોય, પરંતુ નેતા મજબુત ન હોય તો ચૂંટણી જીતી શકાય નહીં. એ જ રીતે નેતા ગમે તેટલા મજબુત  હોય પરંતુ પાર્ટી મજબુત ન હોય તો પણ કામ નહીં ચાલે...હાં, એ વાત સાચી છે કે જે સૌથી લોકપ્રિય જનનેતા હોય છે તે સ્વાભાવિક રીતે જ સામે આવી જ જાય છે."


ચૂંટણીમાં પોતાની સરકારના કામકાજ અને ઉપલબ્ધિઓની જગ્યાએ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને ચૂંટણી મુદ્દો બનાવવાના આરોપને ફગાવતા તેમણે કહ્યું કે, "ચૂંટણીમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળીને અમારા વિકાસના એજન્ડાને બદલવાની વિરોધીઓએ કોશિશ કરી છે. મને વિશ્વાસ છે કે જનતા વિકાસની સાથે રહેશે અને અમે પૂર્ણ બહુમતની સાથે ફરીથી સરકાર બનાવીશું."


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...