નવી દિલ્હીઃ ભાજપને દેશમાં બહુમત ન મળતાં હવે ગઠબંધનની સરકાર ચલાવવા સિવાય છૂટકો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીડીપી સહિત અન્ય સહયોગીઓએ તેમની ડિમાન્ડ મૂકવાનું શરૂ કરી દીધું છે. સૌથી મોટી માંગ લોકસભા સ્પીકરના પદને લઈને થવા જઈ રહી છે જેના પર TDPએ દાવો કરવાની શરૂઆત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીયુ, શિવસેના અને ચિરાગ પણ મહત્વના મંત્રાલયની માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકારને લઈને ડખાઓ શરૂ થઈ ગયા છે. આજે સાંજે દિલ્હીમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે એનડીએના સહયોગીઓએ સરકારની રચના પહેલાં જ ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે.


સૂત્રોનું કહેવું છે કે જેડીયુએ પણ 3 કેબિનેટ મંત્રાલયો માંગણી કરી છે. આ સિવાય શિવસેનાના એકનાથ શિંદે પણ 1 કેબિનેટ અને 2 એમઓએસ ઈચ્છે છે. આ સિવાય ચિરાગ પાસવાન 1 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રીની માંગ કરી શકે છે. જીતન રામ માઝી પણ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવા માંગે છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર ટીડીપી સહિત અન્ય સાથી પક્ષો તરફથી પણ માંગ આવી રહી છે. સૌથી મોટી માંગ લોકસભા સ્પીકરના પદને લઈને થવા જઈ રહી છે જેના પર TDPએ દાવો કરવાની શરૂઆત કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયડુ 5 થી 6 અથવા તેનાથી વધુ મંત્રાલયો માંગી શકે છે.


આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ઓફર કરી, નબળા પરિણામોની જવાબદારી લીધી


ટીડીપી આ મંત્રાલયની કરી શકે છે ડિમાન્ડ


1. લોકસભા અધ્યક્ષનું પદ


2. માર્ગ પરિવહન


3. ગ્રામીણ વિકાસ


4. આરોગ્ય


5. આવાસ અને શહેરી બાબતો


6. કૃષિ


7. જલ શક્તિ મંત્રાલય


8. માહિતી અને પ્રસારણ


9. શિક્ષણ


10. ફાઇનાન્સ (MoS)


એનડીએને બહુમતી મળી છે
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના NDAએ 292 સીટો જીતી છે, જ્યારે વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે. ભાજપને 240 બેઠકો મળી, જે બહુમતીના 272ના આંકડા કરતા ઓછી છે. જ્યારે કોંગ્રેસ 99 બેઠકો જીતવામાં સફળ રહી, જે 2019ની 52 બેઠકો કરતાં 47 બેઠકો વધુ છે. એનડીએના વોટ શેરમાં પણ આ વખતે ઘટાડો થયો છે.


એનડીએના 5 મોટા સહયોગી
1. ટીડીપી 16 સીટ
2. જેડીયુ 12 સીટ
3. શિવસેના 7 સીટ
4. એલજેપી (રામ વિલાસ) 5 સીટ
5. જેડીએસ 2 સીટ


નાયડુ વિશેષ દરજ્જાની કરી શકે છે માંગ 
મંત્રાલયમાં આ માંગણીઓ સિવાય ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની પણ માંગ કરી શકે છે. આ તેમની લાંબા સમયથી માંગણી છે. જે સ્વીકારવામાં આવી રહી નથી. તમને જણાવી દઈએ કે એવા રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે, જે દેશના અન્ય ભાગોની તુલનામાં ઐતિહાસિક રીતે પછાત છે. તેનો નિર્ણય નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) દ્વારા લેવામાં આવે છે. તેલંગાણાના અલગ થયા બાદથી ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે. તેની પાછળ તેમની દલીલ એ છે કે હૈદરાબાદ તેલંગાણામાં ગયા પછી આંધ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. જો નાયડું આ માગ કરશે તો બિહારમાં નીતિશ પણ આ માગણી મૂકી શકે છે.