Bihar Politics: બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન જેડીયુએ  તોડી નાખ્યું અને હવે નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આજે તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું.  નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. તેઓ આરજેડી સાથે મળીને રાજ્યમાં ફરીથી જેડીયુ-આરજેડીની સરકાર બનાવશે. 


રાજીનામું આપ્યા બાદ આપ્યું આ નિવેદન
બિહારના રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ જેડીયુ નેતા નીતિશકુમારે કહ્યું કે તમામ સાંસદ અને વિધાયકની સામાન્ય સહમતિ છે કે આપણે એનડીએ છોડી દેવું જોઈએ. રાજીનામું આપ્યા બાદ તેઓ રાબડી દેવીના ઘરે પહોંચ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube