નવી દિલ્હી : કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આજે લોકસભામાં જણાવ્યું કે, સરકારનું સોશિયલ મીડિયાના એકાઉન્ટને આધાર સાથે જોડવાનો કોઇ જ પર્સાવ નથી. તેમણે સદનને જણાવ્યું કે, આધારનો ડેટા સંપુર્ણ સુરક્ષીત છે અને યોગ્યસમયાંતરે સરકાર દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો કે, આઇટી એક્ટનાં સેક્શન 69-એ હેઠળ દેશ અને જનહિતનાં મુદ્દે સરકારને કોઇનું એકાઉન્ટ બ્લોક કરવાનો અધિકાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહનું સંસદમાં સંબોધન Live:વિપક્ષ જેવો હોબાળો કરે છે તેવું કંઇ જ નથી

સરકારનાં અનુસાર 2016માં 633 યુઆરએલ બ્લોક કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2017માં 1385, વર્ષ 2018માં 2799 યુઆરએલ અને વર્ષ 2019માં અત્યાર સુધી 3433 યુઆરએળ બ્લોક કરવામાં આવી ચુક્યા છે. સરકાર લોકોનાં પ્રાઇવેટ સ્પેસનું સંપુર્ણ સન્માન કરે છે અને તેમાં ઘુસવાનો કોઇ જ પ્રયાસ નથી. 1 નવેમ્બરે Zee Media ના કોન્કલેવ #IndiaKaDNA માં બોલતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરકાર લોકોની અંગત અધિકારો માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઇન્ડિયા મુદ્દે અકારણ ડરનું વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું છે. દેશમાં 121 કરોડ મોબાઇલ છે, સતર્કતા રાખતા કંઇક ખોટુ થશે, કાર્યવાહી થશે. 


ગાંધી પરિવારની સુરક્ષા લેવલ-4 પ્રકારની બુલેટપ્રુફ ગાડી, IED હુમલાની પણ અસર નહી
હિમાચલમાં બાળપણથી બાળકોને ભણાવાશે સંસ્કૃત, કોર્સને સરકારની મંજુરી
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક અને વ્હોટ્સએપને આધાર સાથે લિંક કરવાની માંગ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઇશ્યું કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે જવાબ માંગ્યો હતો કે શું સરકાર સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવા માટે કોઇ ગાઇડલાઇન બનાવી રહી છે. સરકાર તરફથી જવાબ મળ્યા બાદ કોર્ટ તે નક્કી કરશે કે શું તે મુદ્દે અલગ-અલગ હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમમાં ટ્રાન્સફર કરવા કે કેમ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube