નવી દિલ્હીઃ સોમવારે આસામના જોરહાટથી ઉડાન ભરેલા ભારતીય વાયુદળના ટ્રાન્સપોર્ટ વિમાન AN-32ની 24 કલાક બાદ પણ હજુ સુધી કોઈ ભાળ નથી. આ વિમાનમાં 15 લોકો સવાર હતા. સત્તાવાળાઓએ મંગળવારે તેને શોધવાનું અભિયાન તેજ બનાવ્યું છે. હવે, આ વિમાનની શોધમાં ભારતીય નૌકાદળનું અત્યાધુનિક 'લોન્ગ રેન્જ મેરિટાઈમ રિકોનિઆસ્સાન્સ એરક્રાફ્ટ P8i' પણ જોડાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

P8i વિમાન મંગળવારે તમિલનાડુના અરાકોનમ ખાતે આવેલા જહાજ આઈએનએસ રજાલી પરથી બપોરે 1 કલાકે ઉડાન ભરી છે. આ અંગે ભારતીય નૌકાદળે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, "ભારતીય લેવાના લોન્ગ રેન્જ મેરિટાઈમ રિકોનિઆસ્સાન્સ એરક્રાફ્ટ P8i એ તમિલનાડુના અરાકોનમ ખાતેથી બપોરે 1 કલાકે ઉડાન ભરી છે અને તે ભારતીય વાયુસેનાના ગુમ થઈ ગયેલા વિમાન AN-32ના શોધખોળ અભિયાનમાં જોડાયું છે. વાયુસેનાનું આ વિમાન જોરહાટ અને મેચુકા વચ્ચે ગુમ થઈ ગયું છે. અમારું વિમાન ટૂંક સમયમાં જ ત્યાં પહોંચી જશે."


નવી મુંબઈમાં દિવાલ પર લખેલો મળ્યો આતંકીઓનો પ્લાન! હવે પોલીસ કોયડો ઉકેલી રહી છે 


ખોવાઈ ગયેલા વિમાનમાં ભારતીય વાયુસેનાના 15 અધિકારીઓ સવાર હતા. વિમાને આસામના જોરહાટ ખાતેથી બપોરે 12.55 કલાકે ઉડાન ભરી હતી અને છેલ્લે તેણે બપોરે 1.00 કલાકે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સંપર્ક કર્યો હતો. વિમાન AN-32 જ્યારે તેના નિયત સમયે મેચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યું નહીં ત્યારે ભારતીય વાયુસેના દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, આ વિમાનનો કાટમાળ મળ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા, જેનું વાયુસેનાએ ખંડન કર્યું હતું. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....