Tourism: હાલ ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ત્યારે લોકો આ મોસમમાં ફરવાનું વધારે પસંદ કરે છે. વરસાદ પહેલાં જ લોકો મોનસૂન વેકેશનની તૈયારીમાં લાગી જાય છે. દેશના વિવિધ સ્થળો જે ચોમાસામાં ફરવા લાયક છે ત્યાં પર્યટકો ઉમટી પડે છે. જો કે, અમુક એવા સ્થળો છે જ્યાં વધારે વરસાદ પડે છે અને પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ત્યારે આવી જગ્યાએ ફરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને મુંબઈમાં વરસાદના કારણે જાણે અમુક સમય સુધી જીંદગી રોકાઈ જતી હોય તેવી હાલત થઈ જાય છે. લોકો પોતાના ઘરમાં બંધ રહેવા મજબૂર થઈ જાય છે. બહાર પાણી ભરવાના કારણે વાહન વ્યવહારને અસર થાય છે. ત્યારે મુંબઈ સાથે એવા ઘણા સ્થળો છે જ્યાં વરસાદની સિઝનમાં ભૂલથી પણ ફરવા ન જઉં જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુન્નારઃ
કેરળ પ્રાકૃતિક સૌંદર્યના કારણે ખુબ જ પ્રખ્યાત છે. આ રાજ્ય પોતાની સુંદરતાથી સૌ કોઈને પોતાના તરફ ખેંચે છે. ત્યારે વરસાદ પણ સૌથી પહેલાં કેરળમાં જ આવે છે. અને પછી દેશના બીજા ભાગોમાં વરસે છે. કેરળમાં ઘણા ધાર્મિક અને પર્યટન સ્થળ છે. તેમાંથી એક છે મુન્નાર. મુન્નાર ચાની ખેતી માટે પ્રખ્યાત છે. જો કે, વરસાદના દિવસોમાં મુન્નાર જવાનો પ્લાન બિલકુલ ન કરો. કેમ કે, વરસાદમાં તે સુરક્ષિત સ્થળ નથી. 


કુલ્લૂઃ
હિમાચલ પ્રદેશમાં આવેલું કુલ્લૂ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં લોકો કુલ્લૂ ફરવા માટે આવે છે. જો કે, ચોમાસામાં ત્યાં ભારે વરસાદ પડે છે અને તેથી કુલ્લૂના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. સાથે જ ખતરો વધી જાય છે. એટલા માટે મોન્સૂન વેકેશન માટે કુલ્લૂ ન જઉં જોઈએ. 


ઉત્તરાખંડઃ
દેવોની ભૂમિ એટલે ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં વરસાદની સિઝનમાં ખતરો વધી જાય છે. વરસાદના દિવસોમાં અનેક વિસ્તારોમાં વાદળો ફાટવાની ઘટના સામે આવે છે. અને ત્યાનું જનજીવન પણ ખોરવાય જાય છે. માટે મોન્સૂન વેકેશન માટે ઉત્તરાખંડ બિલકુલ સેફ નથી. જો છતાં પણ તમે ઉત્તરાખંડ જવાનો પ્લાન કરી રહ્યા છો તો પૂરી સુવિધા સાથે જઉં જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube