નવી દિલ્હી: પંજાબમાં ચાલી રહેલી ઉથલપાથલ અટકવાનું નામ લેતી નથી. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આજે મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. કેપ્ટન અમરિન્દર સિંહે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ હવે કોંગ્રેસ પાર્ટીમાં રહેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરિન્દર સિંહનું કહેવું છે કે મે મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ હવે આ પ્રકારે અપમાન સહન કરી શકશે નહીં. તેમણે કહ્યું કે જે પ્રકારે મારી સાથે વર્તન કરવામાં આવ્યું તે ઠીક નથી. જો કે તેમણે ભાજપ સાથે જોડાવવા પર કહ્યું કે તેઓ હાલ ભાજપ જોઈન કરવાના નથી. 


આ નિવેદન બાદ કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર ડિટેલ પણ બદલી. હવે તેમણે સેનાના કરિયર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યની સેવામાં સતત કામ કરવાની વાત લખી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેપ્ટન અરવિન્દર સિંહે કહ્યું કે જે પ્રકારે વિધાયક દળની બેઠક બોલાવીને છેલ્લી ઘડીએ મને જાણકારી અપાઈ, મે ત્યારે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે હું પદ છોડી રહ્યો છું. અમરિન્દર સિંહે કહ્યું જો કોઈને મારા પર વિશ્વાસ નથી તો મારા રહેવાનો ફાયદો શું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube