કન્યાકુમારીઃ Congress Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો બુધવારે રાહુલ ગાંધીએ પ્રારંભ કરી દીધો છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી ( 2024 General Elections) ને જોતા કન્યાકુમારીથી પાર્ટીની આ યાત્રાને લીલી ઝંડી દેખાડવામાં આવી છે. 3500 કિલોમીટરની આ યાત્રાને 150 દિવસમાં પૂરી કરવામાં આવશે અને તેનું સમાપન કાશ્મીરમાં થશે. યાત્રાને કોંગ્રેસ પાર્ટીમાં નવો જીવ ફુંકવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. સોનિયા ગાંધી પણ તેને લઈને ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે તે યાત્રામાં હાજરી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટી માટે સંજીવનીનું કામ કરશે
સોનિયા ગાંધીએ કહ્યું, આ ગૌરવશાળી વારસાવાળી અમારી મહાન પાર્ટી માટે ઐતિહાસિક અવસર છે. મને આશા છે કે તે અમારા સંગઠન માટે સંજીવનીનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશમાં છે. હાલમાં તેમના માતાનું નિધન પણ થયું છે. 


રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને એક પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં ત્રણ દાયકા પહેલા એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. 


કારની પાછલી સીટ પર સીટ બેલ્ટ નહીં લગાવો તો વાગશે એલાર્મ, ભરવો પડશે દંડ, 7 પોઈન્ટમાં સમજો નવો નિયમ  


રાહુલ ગાંધીએ કહ્યુ- ભાજપ વિચારે છે કે તે આ દેશને ધાર્મિક, ભાષાના આધાર પર વિભાજીત કરી શકે છે, જે ન થઈ શકે. આ દેશ હંમેશા યુનાઇટેડ રહેશે. આજે ભારત સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube