Currency Note In India: ભારતમાં નવી નોટો છાપવાની અને તેમને ચલાવવાની જવાબદારી આરબીઆઈ પર છે. દેશમાં એક રૂપિયાના સિક્કાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટ ચાલે છે. વર્ષ 2016માં સરકારે દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં 500 અને 1000 રૂપિયાની નોટોને ડીમોનેટાઈઝ કરવામાં આવી હતી. એટલે કે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ હતી. જો કે સરકારે 500 રૂપિયાની નવી નોટ તો છાપી દીધી પરંતુ 1000 રૂપિયાની નવી નોટ ફરીથી છાપી નહીં. હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ એક ચુકાદો આપ્યો જેમાં કહ્યું કે નોટબંધીનો નિર્ણય યોગ્ય હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું પહેલીવાર નથી થયું કે જ્યારે કોઈ નોટ ચલણમાંથી બહાર કરી દેવાઈ હોય. એક એવી નોટ પણ હતી જેને એક નહીં બે વાર ડીમોનેટાઈઝ કરવામાં આવી હતી. પરંતુ તે નોટ વિશે લોકોને વધુ જાણકારી નથી. અમે જે નોટની વાત કરી રહ્યા છીએ તેને સૌથી પહેલા 1938માં છાપવામાં આવી હતી. પરંતુ તેની સફર બહુ લાંબી જોવા મળી નહીં અને માત્ર 9 વર્ષમાં તે બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ તેને ફરીથી ચલણમાં લાવવામાં આવી. જ્યારે આ નોટ માર્કટમાં ફરીથી આવી ત્યારે  ભારત એક આઝાદ દેશ હતો અને વર્ષ હતું 1954નું. આ વખતે આ નોટ લાંબા સમય સુધી ચલણમાં રહી. લાંબા સમય સુધી ચલણમાં રહ્યા બાદ આ નોટને ફરીથી બંધ કરી દેવાઈ. આ નોટ હતી 10,000 રૂપિયાની. 


એક નિર્ણયે જિંદગી બદલી, આ ખેડૂત દર મહિને કરે છે અધધધ...કમાણી, જાણીને આંખો પહોળી થશે


ડિજિટલ ટીવી રિસિવર, USB ટાઈપ સી ચાર્જર-વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ માટે ગુણવત્તા માપદંડ


SBI-PNB વેચાવાની કગારે પહોંચી? ગ્રાહકો રઘવાયા થયા, શું છે સત્ય તે ખાસ જાણો


આ વીડિયો પણ ખાસ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube