નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના પરિણામોમાં દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. અનેક ચેનલોના એક્ઝિટ પોલમાં એવા તથ્યો સામે આવ્યાં છે કે એનડીએને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પણ સામે આવવા માંડી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તથા નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા એક્ઝિટ પોલના પરિણામોથી નારાજ જોવા મળી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં એબીપી નેલસનના એક્ઝિટ પોલ મુજબ ભાજપને એક બેઠકનું નુકસાન થઈ શકે છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2-2 બેઠકો જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#ZeeMahaExitPoll: આજ તક-AXISનો દાવો, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મળશે આટલી બેઠકો
 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...