શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં થોડી કલાકોની અંદર બે આતંકી હુમલા થયા છે. પ્રથમ હુમલો શ્રીનગરના લાલ ચોકના મૈસૂમા વિસ્તારમાં થયો, જ્યાં આતંકીઓએ સીઆરપીએફના બે જવાનોને ગોળી મારી દીધી. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા, જેમાં એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં આતંકીઓની ઘેરાબંધી માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે એક અન્ય હુમલો પુલવામાના લજુરાહ ગામમાં થયો છે. જ્યાં આતંકીઓએ બિન-કાશ્મીરીઓ પર ગોળીબારી કરી છે. આ આતંકી હુમલા બાદ ત્યાં ડરનો માહોલ છે. બંને ઈજાગ્રસ્ત નાગરિકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે તે વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 


ગોરખપુર મંદિર હુમલોઃ સનસનીખેજ દસ્તાવેજ, ગંભીર ષડયંત્ર, યુપી પોલીસે કર્યા મોટા ખુલાસા


પ્રવક્તાએ જણાવ્યું કે હવેલી તાલુકાના નૂરકોટ ગામમાં સેના અને પોલીસના સંયુક્ત સર્ચ અભિયાન દરમિયાન આ ઠેકાણાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, જપ્ત કરાયેલા હથિયાર અને દારૂગોળામાં બે એકે-47 રાઇફલની સાથે બે મેગઝીન તથા 63 ગોળીઓ. એક 223 બોરની એકે આકારની બંદૂક, તેની બે કારતૂસ તથા 20 ગોળીઓ અને એક પિસ્તોલ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube