શ્રીનગર: આતંકવાદીઓ (Terrorist) જે નરકમાં મોકલનાર ભારતીય સેના (Indian Army) તેમને સરેંડર કરાવવામાં પણ માહિર છે. શુક્રવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હાંજીપોરા (Hanjipora) વિસ્તારમાં આવો જ એક મામલો સામે આવ્યો, જ્યાં સેનાની સૂઝબૂઝને લીધે આતંકવાદીઓએ સરેંડર કરી દીધું. સેનાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. જોકે હાંજીપોરા વિસ્તારમાં સુરક્ષાબળોની સાથે અથડામણમાં એક આતંકવાદીનું મોત થયું હતું અને તેનો સાથી સંતાઇ ગયો હતો, જેને સેનાના જવાનોએ સરેંડર કરવા માટે રાજી કરી દીધો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેટિંગ દ્વારા ધર્માંતરણના રેકેટનો ખુલાસો, 5 મહિનામાં દર્શ સક્સેના બની ગયો રેહાન અંસારી


અચાનક થવા લાગ્યું Firing
ઘટનાસ્થળ પર હાજર સેનાના જવાનોએ આતંકવાદીને તેના ઘરવાળા અને મિત્રોનો હવાલો આપ્યો, ત્યારબાદ તેણે એકે-56 રાઇફલ સાથે સરેંડર કરી દીધું. પોલીસના અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના આતંકવાદીની હાજરી વિશે જાણકારીના આધારે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેવા જ સુરક્ષાબળ તે સ્થાન પર પહોંચ્યા, જ્યાં આતંકવાદી છુપાયા હતા, તેમણે ગોળીબારી શરૂ કરી દીધી, ત્યારબાદ અથડામણ શરૂ કરી દીધી. આ દરમિયાન એક આતંકવાદી મોતને ભેટ્યો અને બીજો ત્યાં સંતાઇ ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube