નવી દિલ્હીઃ વિરોધ પક્ષના નેતાઓએ રવિવારે જણાવ્યું કે તેઓ 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન' (EVM)માં ગરબડ અને તેની સાથે છેડછાડના મુદ્દાને સર્વોચ્ચ અદાલતમાં ઉઠાવશે. અહીં, 21 રાજકીય પક્ષના નેતાઓએ મીડિયાને જણાવ્યું છે કે, ચૂંટણી પંચે મુદ્દાઓને ગંભીરતાથી લીધા નથી અને દેશ થતા તેના લોકોની આશાઓ પર તે સાચું સાબિત થયું નથી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે લોકોમાં વિશ્વાસની સ્થાપના કરવા માટે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) અનિવાર્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, 'પેપર ટ્રેલ દ્વારા જ મતદારોનો વિશ્વાસ ફરીથી પ્રાપ્ત કરી શકાય છે. VVPAT, મતદાન પ્રણાલીની શુદ્ધતાને સુનિશ્ચિત કરે છે.' નાયડુએ કહ્યું કે, તેલંગાણામાં 25 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેના અંગે ચૂંટણી પંચે પાછળથી સ્વીકાર કર્યો છે. નાયડુએ કહ્યું કે, "ચૂંટણી પંચે આ વાત સ્વીકારી અને પછી સોરી કહી દીધું છે. તો શું આટલું કહી દેવું પુરતું છે?" 


અડવાણીના બ્લોગના આધારે સેમ પિત્રોડાના ભાજપ પર પ્રહાર


કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતમાં 50 ટકા EVMનું VVPAT સાથે ચેક કરવાની માગ કરાશે. તેમણે જણાવ્યું કે, વાસ્તવિક પ્રમાણ વગર લાખો મતદારોના નામ ઓનલાઈન કાપી નાખવામાં આવ્યા છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....