શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ ગિન્નાયેલ પાકિસ્તાન સીમા પાર સતત ગોળીબાર કરી રહ્યું છે. સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતું રહે છે. પાકિસ્તાને રવિવારે એકવાર ફરીથી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી બારામુલાના ઉરી સેક્ટરમાંલ લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફાયરિંગમાં એક જવાબ શહીદ થઇ ગયા હતા.


ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
પાકિસ્તાન સેનાની આ ગોળીબમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઇ ગયા છે. બીજી ભારતીય સેનાએ પણ પાકિસ્તાની સેનાના ફાયરિંગનો યોગ્ય જવાબ વાળ્યો છે. ભારતીય સેના દ્વારા વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની એક ચોકીને પણ ભારતીય સેનાએ નષ્ટ કરી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.