નવી દિલ્હી: ભારતના એક પગલાંથી પાડોશી દેશ પાકિસ્તાન ધૂંધવાઈ ગયો છે. પાકિસ્તાને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હાલમાં જ શરૂ કરાયેલી શ્રીનગર-શારજાહ ફ્લાઈટ્સને પોતાના એરસ્પેસમાંથી પસાર થવા પર રોક લગાવી દીધી છે. હવે શ્રીનગરથી શારજાહ માટે ઉડાણ ભરનારા વિમાનોએ ઉદયપુર અને અમદાવાદ થઈને પસાર થવું પડશે. તેનાથી મુસાફરી દોઢ કલાક લંબાશે અને સાથે સાથે મુસાફરો પર આર્થિક બોજો પણ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન પર ભડક્યા ઉમર અબ્દુલ્લા
પાકિસ્તાનના આ પગલાં પર કાશ્મીરના પૂર્વ પ્રધાનમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટીકા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાન 2009-10માં શ્રીનગરથી દુબઈ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સાથે પણ આવું જ કર્યું હતું. મને આશા હતી કે ગો ફર્સ્ટના વિમાનને પાકિસ્તાના એર સ્પેસ પર થઈને ઉડાણ ભરવાની મંજૂરી મળવી એ સંબંધોના સુધારાના સંકેત છે. પરંતુ અફસોસ એવું બન્યું નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube