નવી દિલ્હી: પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બાલાકોટમાં જૈશના કેમ્પ ઉપર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હજુ પણ ખુબ ડરેલુ છે. હુમલા બાદથી જ જ્યાં એકબાજુ પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી હવાઈ સીમામાં એર સ્પેસ સંપૂર્ણ રીતે બંદ કરેલો છે ત્યાં પાકિસ્તાનની સેનાએ ભારત સાથે જોડાયેલી પોતાની સરહદ પાસે બચાવમાં આર્મ્ડ બ્રિગેડ તહેનાત કરેલી છે. આ સાથે જ અનેક લોકેશન્સ પર નવી ડિફેન્સિવ રણનીતિ હેઠળ હાઈ મોબિલિટી આર્મ્ડ વ્હીકલ (HMV) પણ તહેનાત કરવાની યોજનામાં તે લાગેલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સરકારે એમ કહીને પોતાનો બંધ પડેલો એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી કે જ્યાં સુધી ભારત પોતાની ફોરવર્ડ પોસ્ટથી ફાઈટર જેટ નહીં હટાવે ત્યાં સુધી તે પોતાનો એર સ્પેસ બંધ રાખશે. ઝી ન્યૂઝને મળેલી ગુપ્ત માહિતી મુજબ પાકિસ્તાની સેના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઈક બાદથી હાઈ એલર્ટ પર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...