નવી દિલ્હી: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું. પકિસ્તાની સેનાએ વિસ્તારમાં મોર્ટાર છોડ્યાં. પાકિસ્તાની સેનાએ આ ફાયરિંગ સવારે 6.30 વાગે શરૂ કર્યું. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. પરંતુ આ ફાયરિંગમાં ભારતીય સેનાના લાન્સનાયક સંદીપ થાપા શહીદ થયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...