નવી દિલ્હી: પાકિસ્તાન તેના અધિકૃત કાશ્મીર એટલે કે PoK પર એક મોટું ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન સરકાર સતત પાકિસ્તાની સેનાના રિયાર્યડ જવાનો અને અધિકારીઓને પીઓકેમાં વસવાટ કરવા મોકલી રહ્યું છે. જેનાથી PoKની ડેમોગ્રાફી (Demography)ને સંપૂર્ણ રીતે બદલી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee Newsને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી અનુસાર, પાકિસ્તાને છેલ્લા કેટલાક મહિનામાં હજારોની સંખ્યામાં પાક સેનાના રિયાર્યડ જવાનોને પીઓકેના અલગ અલગ અડ્ડામાં વસવાટ કરી રહ્યાં છે. પાકિસ્તાન સરકાર તેમની સાથે જ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ના નિર્માણમાં લાગેલા પાકિસ્તાની મજૂરોને પણ પીઓકેમાં વસાવી રહ્યું છે. સાથે જ ચીનને ખુશ કરવા માટે પાકિસ્તાન સરકાર પીઓકેની જમીન ચીની કંપનીઓને સોંપી રહી છે.


જેએનયૂમાં ઇન્ટરનેશનલ સ્ટડિઝના પ્રોફેસર એકે મહાપાત્રાના જણાવ્યા અનુસાર ભારત સરકારે કાશ્મીરથી આર્ટકલ 370 હટાવી છે, જેનાથી પાકિસ્તાન સરકાર સંપૂર્ણ રીતે ભયભીત થઈ ગઈ છે. પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ભારત પીઓકે પર કબ્જો ના કરી લે.


મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ભારતે જે પ્રકારથી કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે. તેનાથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાન આ વાતનો ભય છે કે, ભારત પીઓક પર કબ્જો ન કરી લે. આ કારણ છે કે, પાકિસ્તાન પીઓકેની ડેમીગ્રાફીમાં બદલાવ કરી રહ્યું છે. જે પ્રકારે થોડા દિવસો પહેલા પાકિસ્તાન કોરોના વાયરસથી પીડિત લોકોને પીઓકેમાં મોકલી રહ્યું છે. તેની સામે પીઓકેના લોકોએ ઘણું વિરોધ પ્રદર્શન કહ્યું હતું. પીઓકેના લોકો પાકિસ્તાનની સામે અવારનવાર પ્રદર્શન કરી રહ્યાં છે. આ કારણ છે કે, પાકિસ્તાન ડરના માર્યા પીઓકેમાં ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube