નવી દિલ્હીઃ Nagaland Incident: નાગાલેન્ડમાં ફાયરિંગ પર આજે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, શંકાસ્પદોની આશંકામાં ફાયરિંગ થયું છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર નાગાલેન્ડની ઘટના પર અત્યંત દુખ વ્યક્ત કરે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરે છે. ગૃહમંત્રીએ લોકસભામાં કહ્યુ- નાગાલેન્ડની ઘટનાની વિસ્તૃત તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેને એક મહિનાની અંદર તપાસ પૂરી કરવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યુ- તમામ એજન્સીઓને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવા સમયે આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય. 


મહત્વનું છે કે નાગાલેન્ડના મોન જિલ્લામાં 24 કલાકની અંદર એક નિષ્ફળ ઉગ્રવાદ વિરોધી અભિયાન અને જવાબી હિંસામાં સુરક્ષા દળોની ગોળીબારીમાં ઓછામાં ઓછા 14 સામાન્ય નાગરિકો અને એક સૈનિકનું મોત થયુ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube