નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે 2013-17 વચ્ચે માર્ગ પરનાં ખાડાઓનાં કારણે 14,926  લોકોનાં મોત અંગે ચિંતા વ્યક્ત કરી. સાથે જ કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ગત્ત પાંચ વર્ષોમાં માર્ગ પર પડેલા ખાડાઓનાં કારણે મરનારાઓની સંખ્યા બોર્ડર કે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો કરતા પણ વધારે છે. કોર્ટે માર્ગ પરના ખાડાઓનાં કારણે થતા મોતને અસ્વિકાર્ય ગણાવતા કહ્યું કે, તેના પરથી જાણવા ખબર પડે છે. કોર્ટે રસ્તા પર ખાડા  છે. કોર્ટે માર્ગ પરના ખાડાઓનાં કારણે થનારા મોત પર સુપ્રીમ કોર્ટ સમિતીની તરફથી દાખલ રિપોર્ટ અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો.