જમ્મુ: તવી નદીમાં અચાનક જળ સ્તર વધી જવાથી તેના પર બની રહેલા એક નિર્માણધીન પુલ પર બે લોકો ફસાઈ ગયાં. તેમને બચાવવા માટે વાયુસેનાનું હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું. જાંબાઝ વાયુસૈનિકોએ પાણીનો પ્રવાહ વધે તે પહેલા જ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા. ઉલ્લેખનીય છે કે દેશના અલગ અલગ ભાગોમાં હાલ ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. કેરળ અને કર્ણાટક બાદ હવે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વિનાશ વેર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...