નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી લેપટોપ વિતરણ (Free Laptop Scheme) ની યોજના ચલાવવામાં આવી રહી છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રી લેટપોટ માટે તમારે બસ એક લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સરકારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ મેસેજ સાથે જોડાયેલું સત્ય જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબી (PIB) એ આ વાયરલ મેસેજનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેકમાં આ દાવાને નકલી જણાવ્યું. પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેક એકાઉન્ટથી ટ્વીટ કરીને કહ્યું કે, યુવાઓને ફ્રી લેપટોપ આપવા અને તેને બુક કરવા માટે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરવાનો દાવો કરનાર સોશિયલ મીડિયા પર લિંકની સાથે એક સંદેશ પ્રસારિત થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિગત વિગત માંગવામાં આવી રહી છે. 


Controversy: બાગેશ્વર ધામના બાબાને જોશીમઠના શંકરાચાર્યએ ફેંક્યો પડકાર? કહ્યું કે....


તમારી પાસે ભ્રામક સમાચાર આવો તો અહીં કરો ફરિયાદ
તમે પણ સરકાર સાથે જોડાયેલ કોઈ ભ્રામક સમાચાર જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ પીઆઈબી ફેક્ટ ચેકને ભ્રામક સમાચારના સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ કે યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર ઈમેલ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube