નવી દિલ્હી: ગુરુ તેગ બહાદુરના 400 માં પ્રકાશ પર્વના અવસર પર PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રચારી પરથી 21 એપ્રિલના દેશને સંબોધિત કરશે. આ દિવસે પીએમ મોદી દુનિયાભરના શીખ સમુદાયના લોકોને ખાસ સંદેશ આપી શકે છે. સંસ્કૃતિ મંત્રાલયે તેની જાણકારી આપતા કહ્યું કે આ દિવસે PM મોદી એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યક્રમનું આયોજન કરશે સંસ્કૃતિ મંત્રાલય
આ કાર્યક્રમ વિશે જાણકારી આપતા મંત્રાલયે કહ્યું કે આ અવસર પર 400 રાગી (શીખ સંગીતકાર) 'શબદ કીર્તન' ગાશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના સહયોગથી કરવામાં આવશે.


કોરોના કેસમાં અચાનક ઉછાળો, આંકડાએ સૌ કોઈને ચોંકાવ્યા; ચોથી લહેરની શરૂઆત?


અનેક હસ્તીઓ રહેશે હાજર
શીખ ગુરુ તેગ બહાદુરના 400 માં પ્રકાશ પર્વના અવસર પર આ કાર્યક્રમનું આયોજન 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને દેશ તેમજ દુનિયાની કેટલીક હસ્તીઓ સામેલ થશે.


17 વર્ષ પહેલા વનરાજની આવી હતી લાઈફ, ઘરમાં અનુપમાનું ચાલતું હતું રાજ


પહેલી વખત કોઈ ધાર્મિક કાર્યક્રમનો સાક્ષી બનશે લાલ કિલ્લો
તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત છે જ્યારે PM મોદી કોઈ ધાર્મિક કાર્યક્રમ પર લાલ કિલ્લાના પ્રચારીથી દેશને સંબોધિત કરશે. આ પહેલા PM મોદી સ્વતંત્રતા દિવસથી અન્ય 21 ઓક્ટોબર 2018 ના પણ લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરી ચૂક્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે આઝાદ હિંદ ફોજના 75 વર્ષ પૂર્ણ થવા પર લાલ કિલ્લા પર આયોજન કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube