નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021નો બીજો હપ્તો જારી કરી દીધો છે. પ્રધાનમંત્રી મોદીએ ડીબીટી હેઠળ આ યોજના સાથે જોડાયેલા 9.75 કરોડથી વધુ લાભાર્થી કિસાનોને લગભગ 19 હજાર 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ પીએમ મોદીએ દેશના ઘણા કિસાનો સાથે વાતચીત કરી. તો પીએમ મોદીએ આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યુ. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 


તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા તમારા ખાતામાં પહોંચ્યા છે કે નહીં. તેવામાં રકમ કઈ રીતે ચેક કરવી તે પ્રક્રિયા અમે તમને જણાવીશું. 


Corona: એક સાથે આવ્યા બે ગુડ ન્યૂઝ, નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો ઘટાડો


શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે કિસાનોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ હપ્તો બે-બે હજાર રૂપિયાનો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ કિસાનોના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરે છે. આ યોજનામાં થતો ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube