જયપુર: રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક ચાલુ છે. આ બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને વર્ચ્યુઅલી સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દુનિયા આજે ભારત તરફ ખુબ આશાઓ સાથે જોઈ રહી છે. બરાબર એ જ રીતે ભારતમાં ભાજપ પ્રત્યે જનતાનો એક વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ પ્રત્યે ખુબ આશાથી જુએ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાની આ આકાંક્ષાઓ-આશાઓ આપણી જવાબદારી વધારે છે. આઝાદીના આ અમૃત કામમાં દેશ પોતાના માટે આગામી 25 વર્ષ માટે લક્ષ્યાંક નક્કી કરી રહ્યો છે. ભાજપ માટે આગામી 25 વર્ષના લક્ષ્યાંકો નક્કી કરવાનો, નિરંતર કામ કરવાનો આ જ સમય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube