નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારના અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં જનસભાનું સંબોધન કરવા પહોંચ્યા છે. પાસીઘાટના પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીં પર પહેલા જંગલ હતું, આઝાદીના 7 દશક બાદ પ્રદેશના ગામમાં રોશની આવી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તમારા પ્રેમનું જ પરિણામે છે કે, આજે અમે અરૂણાચલમાં ગામે-ગામમાં રસ્તા હોય, નેશનલ હાઇવે હોય, રેલવે હોય કે પછી એરવે કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે કામ કરી શક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી સમાચારો માટે અહીં ક્લિક કરો...


કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે દેશમાં અલગાવવાદ વધારવા માટે, હિંસાને પ્રોત્સાહન આપવા માટે, ભારતને ગાળો આપનાર લોકો માટે યોજા બનાવી છે. આપણા ધ્વજને સળગાવનાર, ભારત તારા ટૂકડા થશેના નારા લગાવનાર, વિદેશની તાકતોના હાથમાં રમનાર, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓ તોડનારથી કોંગ્રેસ સહમત છે. કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો દૂર કરવા ઇચ્છે છે.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...