નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. પીએમ મોદી હાલ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં છે. જ્યાં તેઓ સરહદ પર તૈનાત જવાનોને મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી દિવાળીમાં જવાનોની સાથે છે. આજે સવારે તેઓ દિલ્હીથી જમ્મુ માટે રવાના થયા તો વીઆઈપી રૂટ વગર દિલ્હીથી નીકળ્યા. આ દરમિયાન તેમનો કાફલો દિલ્હીના એક ટ્રાફિક સિગ્નલ પર રોકાયો. 


દિલ્હીથી VIP રૂટ વગર જ નીકળ્યો પીએમ મોદીનો કાફલો
પ્રધાનમંત્રી જમ્મુ જવા નીકળ્યા ત્યારે દિલ્હીના રસ્તાઓ પર તેમના કાફલા માટે કોઈ વીઆઈપી રૂટ બનાવવામાં આવ્યો નહતો. વહેલી સવારે પીએમ મોદીનો કાફલો દિલ્હીના રસ્તાઓ પરથી પસાર થયો. આ દરમિયાન દિલ્હીના એક ટ્રાફિક સિગ્નલ પર ઘણી વાર સુધી કાફલો રોકાયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube