દેહરાદૂન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવારે) ઉત્તરાખંડના પ્રવાસે છે. પીએમ મોદીએ ઉત્તરાખંડમાં 18 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓની શરૂઆત કરી. પીએમ મોદીએ આ અવસર પર એક જનસભાને પણ સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વિસ્તારનો વિકાસ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ પ્રોજેક્ટ્સ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે.


ઉત્તરાખંડ બીજેપી અધ્યક્ષ મદન કૌશિકે પીએમનો આભાર માન્યો
પીએમના સંબોધન પહેલા ઉત્તરાખંડ બીજેપી અધ્યક્ષ મદન કૌશિકે જનસભાને સંબોધી હતી. તેમણે કલમ 370 હટાવવા અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન, મફત રાશન અને ગરીબો માટે આવાસ યોજનાઓ માટે પીએમ મોદીનો આભાર માન્યો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube