નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી રહ્યા છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પાસે એ સુવિધા હોય છે કે તે પોતાના પ્રશ્નો સીધા વડાપ્રધાનને મોકલી શકે છે. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે 'ફરી એકવાર આ મિત્ર તમારી વચ્ચે છે. સૌથી પહેલાં તમને નવા વર્ષ 2020ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે 'મને લાગે છે કે તમારા માતા-પિતાનો ભાર થોડો હળવો કરવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે 'વિદ્યાર્થી સાથે સંવાદ કરીને મને ખૂબ આનંદ આવે છે. આ કાર્યક્રમ દિલને સ્પર્શી જનાર છે.'

આંધ્ર પ્રદેશથી પ્રશ્ન... પરીક્ષામાં અધ્યાપક અને માતા-પિતા દ્વારા બનાવવામાં આવેલા દબાણથી કેવી રીતે નિજાત મેળવી શકાય?
PM મોદીનો  જવાબ: જ્યારે બાળક નાનું હોય છે ત્યારે માતા-પિતા તેને ઉત્સાહિત કરે છે, પરંતુ અત્યારે પણ એવું હોવું ન જોઇએ. બાળકો પ્રેશર ન બનાવવું જોઇએ, જેની સાથે બાળકો કમ્ફર્ટ હોય છે તેને વાત કરવી જરૂરી છે. ભારતના દરેક બાળક સારા પોલિટિશયન હોય છે, તેને ખબર છે કે ઘરમાં કોની પાસેથી શું કામ કરાવવું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube