નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)નું પરિણામ આવ્યાનાં બરોબર બે અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદીએ (Zee News)ને ખાસ ઇંટરવ્યું આપ્યો હતો. આ ઇંટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૂંટણી મુદ્દાઓ અને 23 મેનાં દિવસે આવનારા પરિણામ સંબંધિત સવાલોનાં નિસંકોચ જવાપ આપ્યા. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, 23 મે બાદ શું થશે, તો તેમણે કહ્યું કે તે તો દેશની જનતા અને ઇવીએમ પણ કહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક


VIDEO: રમઝાનનો વાઇરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમારી આંખો છલકાઇ જશે...


Zee News ના એડિટર સુધીર ચૌધરી સાથેના આ શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, 23 મેનાં રોજ દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ 2014ની તુલનાએ વધારે સીટો મેળવશે. આ સમગ્ર ઇન્ટરવ્યુંને ZEE News પર આજે રાતેર 8 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. 
PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

મોદી લહેરથી બચવા તમામ વિપક્ષ એક થઇ ગયું છે
વડાપ્રધાને કહ્યું કે, મોદી લહેરથી બચવા માટે જ વિપક્ષી દળ એક બીજાનો હાથ પકડી રહ્યું છે જેથી તેઓ ઉડી ન જાય. મમતા બેનર્જી દ્વારા મોદીને વડાપ્રધાન માનવાનો ઇન્કાર કરવા અંગે તેમણે કહ્યું કે આ સંવૈધાનિક ખતરો છે મમતા બેનર્જી પાકિસ્તાનનાં વડાપ્રધાનને વડાપ્રધાન માને છે પરંતુ ભારતનાં વડાપ્રધાનને માનવા તૈયાર નથી. આ તેમના સંવિધાન પર અવિશ્વાસની અભિવ્યક્તિ છે. 


લાલુનો વ્યંગ, 'નીતીશ કુમાર ભુલી ગયા બાબુ જગજીવન રામનો સંદેશ'



ZEE Newsના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી દ્વારા વડાપ્રધાન મોદીને અનેક સવાલો પુછવામાં આવ્યા હતા આ ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ખુબ જ મુક્તપણે દરેકનાં જવાબ આપ્યા હતા. આ ઇન્ટરવ્યું આજે રાત્રે 8 વાગ્યે Zee News પર પ્રસારિત કરવામાં આવશે.