નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે જેવરમાં એશિયાના સોથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટ (Noida International Airport) નો શિલાન્યાસ કર્યો.  શિલાન્યાસ કર્યા બાદ તેમણે જનસભા પણ સંબોધી. પીએમ મોદીએ કહ્યું કે આજે નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ થયો. અમારી રાષ્ટ્રસેવાની નીતિ સામે કેટલાક રાજકીય પક્ષોની સ્વાર્થનીતિ ચાલી શકતી નથી. ડબલ એન્જિનની સરકારથી યુપીનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના આ પ્રવાસ સાથે બે ખાસ વાતો જોડાયેલી છે. એક તો એ કે જલદી યુપીમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને બીજી છે ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો યુપી પ્રવાસ હતો.


પીએમ મોદીએ કર્યો જેવર એરપોર્ટનો શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના ચોથા અને એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Noida International Airport) નો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ જનસભાને સંબોધશે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ અને ફર્સ્ટ નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે એટલે કે સંપૂર્ણ રીતે પ્રદૂષણમુક્ત.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube