નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારઘાટીમાં આવેલી ગરુડચટ્ટીની ગુફામાંથી ધ્યાન સાધના કરીને બહાર આવી ગયા છે. તેઓ અહીંથી ચાલતા પર્વત પરથી નીચે ઉતર્યા હતા અને સીધા જ કેદારનાથ ધામમાં પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યાર બાદ તેઓ સીધા બદ્રાનાથ જવા રવાના થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી શનિવારે કેદરનાથ પહોંચ્યા હતા. અહીં કેદારનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી તેઓ એક ગુફામાં ધ્યાન સાધના કરવા માટે ગયા હતા અને આખી રાત આ ગુફામાં રોકાઈને સાધના કરી હતી. અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 11,700 ફૂટ છે. પીએમ મોદી જે ગુફામાં ધ્યાન લગાવા બેસવાના છે તે કેદારનાથ મંદિર પરિસરથી લગભગ દોઢ-બે કિમીના અંતરે આવેલી છે. આ ધ્યાન ગુફાની ઊંચાઈ 12,250 ફૂટ છે. 


10.10 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પૂરી કરીને બદ્રીનાથ પહોંચી ચૂક્યા છે. તેઓ અહીં બદ્રાનાથ ધામમાં પણ વિશેષ પૂજા-અર્ચના કરવાના છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...