નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર દિલ્હીના રાજઘાટ પહોંચ્યા. અહીં તેમણે પૂજ્ય બાપુની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને યાદ કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના આદર્શ વિચારોને અને હજુ વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયત્ન છે. અત્રે જણાવવાનું કે મહાત્મા ગાંધીની 1948માં આજના દિવસે જ નાથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube