નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે યુવાઓને પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય યોજના ‘Young, Upcoming and Versatile Authors’ (YUVA) ની શરૂઆત કરી. પીએમ મોદીએ ટ્વિટર પર યોજનાની લિંક શેર કરતા કહ્યું, 'અહીં યુવાઓ માટે પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને ભારતના બૌદ્ધિક પ્રવચનમાં યોગદાન આપવા માટે એક રસપ્રદ તક છે.'


આ યોજનાનો હેતુ 30 વર્ષથા નાની ઉંમરના 75 એવા આશાસ્પદ લેખકોને તાલિમ આપવાનો છે, જે તેમની સાથે ભારત અને તેની સંસ્કૃતિ તથા સાહિત્યને વૈશ્વિકસ્તરે રજુ કરી શકે. આ મેન્ટોરશીપ હેઠળ દર મહિને 50,000 રૂપિયાની સ્કોલરશીપ 6 મહિના માટે પસંદગી પામેલા લેખકને આપવામાં આવશે. પીએમ મોદીએ આ યોજનાની એક લિંક ટ્વિટર પર શેર કરતા લખ્યું કે 'અહીં યુવાઓ માટે પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને ભારતના બૌદ્ધિક પ્રવચનમાં યોગદાન આપવા માટે એક રસપ્રદ તક છે.' વધુ માહિતી માટે https://innovateindia.mygov.in/yuva/ પર ક્લિક કરો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube