નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)ના પાંચમાં તબક્કા માટે ચૂંટણી જંગ જામી રહ્યો છે. પીએમ મોદી બુધવાર (1 મે, 2019) પહેલી વખત પ્રધાનમંત્રી તરીકે અધ્યોધ્યા જિલ્લાનો પ્રવાસ કરશે. પીએમ મોદી અયોધ્યા અને આંબેડકર નગરની વચ્ચે ફૈઝાબાદના ગૌસાઇગંજમાં મયા બજાર વિસ્તારમાં ચૂંટણી જનસભાને સંબોધીત કરશે. પરંતુ ત્યાં રામલલા અને હનુમાનગઢીના દર્શન કરશે નહીં. ત્યારે, અખિલેશ અને માયાવતીની સંયુક્ત રેલી અયોધ્યાના રામસનેહી ઘાટમાં યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લખનઉ: જયા બચ્ચને કહ્યું- ‘પૂનમને જીતાડવાનું વચન આપો, નહીં તો મને મુંબઇમાં એન્ટ્રી નહીં મળે’


બે લોકસભા ઉમેદવારો માટે કરશે સંયુક્ત જનસભા
પીએમ મોદી અયોધ્યાથી લગભગ 25 કિમી દૂર પર રેલી સંબોધીક કરશે. તે દરમિયાન 4થી 5 લાખથી વધારે સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓની અહીં હાજરી રહેશે. ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા ઉમેદવાર લલ્લૂ સિંહ અને આંબેડકર નગરના ઉમેદવાર મુકુટચ બિહારી વર્માના સમર્થનમાં જનસભાનું સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આ જનસભા બે જિલ્લાના ઉમેદવાર માટે સંયુક્ત જનસભા હશે.


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...