દરભંગા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા અને મધુબનીથી ભાજપના ઉમેદવાર અને સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યાં. પોતાના સંબોધન દરમિયાન તેમણે એર સ્ટ્રાઈક અને આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો. પોતાના ભાષણની શરૂઆત મૈથિલીમાં કરી. તેમણે કહ્યું કે આ લહેર નવા ભારતની લલકાર છે. 21મી સદીમાં જે દીકરા દીકરી પહેલીવાર દિલ્હીની સરકાર ચૂંટવા જઈ રહ્યાં છે તેઓ ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમને જાતિ, મત, પંથ અને ધર્મના જૂના ચૂંટણી સમીકરણ સમજમાં આવતા નથી. દેશના યુવા મતદારોને એનડીએના ગઠબંધન પર ભરોસો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


પીએમએ કહ્યું કે મજબુત દેશ માટે મજબુત વડાપ્રધાનની જરૂર છે. 8,10,40 બેઠકોથી ચૂંટણી લડનારા પણ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યાં છે. વડાપ્રધાને સામે હાજર ભીડને પૂછ્યું કે પીએમની લાઈનમાં જેટલા પણ ચહેરા છે તેમાંથી આતંકવાદને કોણ ખતમ કરી શકે છે? ભીડે મોદીનું નામ લેવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેમણે કહ્યું કે આતંકવાદને ખતમ મોદી નહીં પરંતુ તમારો એક મત કરી શકે છે. આતંકવાદને ખતમ કરવા માટે મજબુત વડાપ્રધાન જરૂરી છે. 


2014ની ભૂલ સુધારવા માંગે છે બિસ્મિલ્લાહ ખાન પરિવાર, કહ્યું-'આ વખતે PM મોદીની સાથે'


પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે લગભગ 300 બેઠકો પર મતદાન બાદ એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારા અચાનક ગાયબ થઈ ગયા છે. જે પહેલા પાકિસ્તાનના પક્ષકાર બની બેઠેલા તેઓ હવે મોદી અને ઈવીએમને ગાળી આપવામાં લાગ્યા છે. જમીનથી કપાયેલા લોકો, જનતાની નસને ઓળખી શક્યા નહીં. આથી જનતાએ ત્રણ તબક્કાઓમાં જ તેમને ઠેકાણે લાવી દીધા. આ લોકો ચીડાયેલા છે, હચમચી ગયેલા છે.

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...