નવી દિલ્હીઃ જેમ-જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ દિલ્હીના રાજકીય માહોલમાં ગરમી વધતી જાય છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.  દિલ્હીના દ્વારકામાં વડાપ્રધાન મોદી વિશાળ રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેજરીવાલ સરકાર પર અનેક પ્રહારો કર્યાં હતા. આ સાથે પીએમ મોદીએ શાહીન બાગ, સીએએ, સર્જિકલ સ્ટ્રાઇક સહિતના ઘણા મુદ્દે વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીની જનતા 8 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં મતદાન કરે. પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ સીએએ પર અફવાઓ ફેલાવી રહ્યાં છે. દેશની તથા દિલ્હીની જનતા સત્ય જાણે છે. હવે તમારે આવી અફવાઓ ફેલાવનારને જવાબ આપવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાના મહત્વના મુદ્દાઓ 


- જૂના વારસામાં નવાપણું લાવવાની સાથે નવા વારસાને પણ વિકસિત કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ગેટની પાસે ભવ્ય નેશનલ વોર મેમોરિયલ બનાવવાનું કામ પણ અમે કર્યું છેઃ પીએમ મોદી


- ઈન્ડિયા ગેટ હોય, લાલ કિલો હોય, દેશની સંસદ હોય, નોર્થ કે સાઉથ બ્લોક હોય. બધાની ભવ્યતાને વધારવામાં આવી છે. હવે લાલ કિલામાં નેતા જી સુભાષ ચંદ્ર બોસને સમર્પિત ક્રાંતિ મંદિર મ્યૂઝિયમનું નિર્માણ થયું છે. લાલ કિલામાં હવે ભવ્ય ભારત પર્વનું પણ આયોજન થાય છે. 


- દિલ્હી વધુ સુંદર બને, અહીંના લોકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળે, તેના માટે અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. યમુનાને સ્વચ્છ બનાવવા સાથે જોડાયેલી યોજનાઓની સાથે અમારી સરકાર યમુના રિવર ફ્રન્ટ પર પણ કામ કરી રહી છેઃ પીએમ મોદી 


- દિલ્હીમાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું કામ કેટલા વર્ષોથી ચાલી રહ્યું હતું? લોકો રાહ જોતા હતા કે ક્યારે કામ પૂરુ થશે. અમારી સરકાર બન્યા બાદ વર્ષોથી અટકેલું આ કામ પૂરુ થયું- પીએમ મોદી


- આ સમયે રેપિડ સેલ સિસ્ટમ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે, દિલ્હીથી મેરઠ આવવા-જવામાં ઓછામાં ઓછો સમય લાગશે, તે દિશામાં પણ કામ થઈ રહ્યું છે. આ સિસ્ટમ માટે બજેટમાં આશરે 2.5 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 

- જો બહાના અને વિરોધથી કામ ચાલે, તો શું અમારી સરકાર આકરા અને મોટા નિર્ણયો લઈ શકે? 5 વર્ષમાં અમે એક બાદ એક મજબૂત પગલા ભર્યા છે, શું તે કરી શકત? ભાજપે ઈચ્છાશક્તિ દર્શાવી છે અને 40 લાખ દિલ્હી વાળાને પોતાના મકાન અને પોતાની દુકાનનો હક મળ્યોઃ પીએમ મોદી


- દિલ્હીની 1700થી વધુ ગેરકાયદેસર કોલોનિઓમાં 40 લાખ લોકોને ઘરોના અધિકારનો વિષય દિલ્હી કેમ ભૂલી શકે છે? અહીં જે સત્તા છે, તે પ્રયત્નમાં હતી કે કોઈ રીતે વધુ એક બે વર્ષ માટે મામલાને ટાળી દેવામાં આવેઃ પીએમ મોદી


- નાગરિકતા સંશોધન કાયદો બન્યા બાદ દેશ અને દિલ્હીના લોકો પહેલા દિવસથી જોઈ રહ્યાં છે કે કેમ આ લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, લોકો સામે જૂઠ બોલવામાં આવી રહ્યું છે. દિલ્હીની જનતા બધુ જોઈ રહી છે. બધુ સમજી રહી છે. મારો જે દિલ્હી પર વિશ્વાસ છે કે તે તમામ વસ્તુને જોઈ અને સમજી રહ્યાં છે. વોટ બેન્કની રાજનીતિ, નફરતની રાજનીતિ, ખોટા ઇરાદા અને ખરાબ નીયતની સાથે દિલ્હીનો વિકાસ ક્યારેય ન થઈ શકેઃ પીએમ મોદી


- પોતાની રાજનીતિ માટે, પુષ્ટિકરણ માટે લોકોને ભડકાવનાર, શું આવા લોકો દિલ્હીનું કલ્યાણ કરી શકશે? આ લોકો બાટલા હાઉસના આતંકીઓ માટે રડી શકે છે, તેનો સાથ આપવા માટે સુરક્ષા દળો પર સવાલ ઉઠાવી શકે છે, પરંતુ દિલ્હીનો વિકાસ કરી શકતા નથીઃ પીએમ મોદી 


- સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવાને લઈને તમારા મનમાં ગુસ્સો નથી? જો હોય તો 8 તારીખે તે ગુસ્સો કાઢવો જોઈએ કે નહીં? તેને સજા મળવી જોઈએ કે નહીં? સજા આપવાનું કામ તમે કરશો કે નહીં? દિલ્હીમાં એવું નેતૃત્વ જોઈએ જે સીએએ જેવા રાષ્ટ્રીય સુરક્ષાના તમામ નિર્ણય પર દેશનો સાથ આપતું હોયઃ પીએમ મોદી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...