નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું આજે સાંજે વિસ્તરણ થશે. નવા ચહેરા અને પ્રમોશન પામેલા કુલ થઈને 43 મંત્રીઓ આજે સાંજે શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં મોદી મંત્રીમંડળમાં 53 મંત્રીઓ
મોદી મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત 21 કેબિનેટ મંત્રી, 23 રાજ્યમંત્રી અને 9 સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રી છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અનેક મંત્રીઓ રાજીનામા આપી ચૂક્યા છે. 


Modi Cabinet Expansion: હર્ષવર્ધન, નિશંક, સુપ્રીયો....મોદી મંત્રીમંડળમાંથી આ દિગ્ગજ નેતાઓ થયા આઉટ


મંત્રીમંડળમાં વધુમાં વધુ કેટલા મંત્રી હોઈ શકે?
ભારતીય બંધારણ મુજબ કેન્દ્ર સરકારમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના 15 ટકાથી વધુ હોઈ શકે નહીં. હાલમાં લોકસભામાં સભ્યોની કુલ સંખ્યા 543 છે. જે મુજબ મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા વધુમાં વધુ 81 હોઈ શકે. 


Modi New Cabinet: 6 ડોક્ટર, 5 એન્જિનિયર, 13 વકીલ.. આવું હશે પીએમ મોદીનું નવુ મંત્રીમંડળ


43 મંત્રીઓ લેશે શપથ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં 53 મંત્રીઓ સાથે શપથ લીધી હતી અને હવે પહેલીવાર વિસ્તરણ થઈ રહ્યું છે. આ અગાઉ અનેક મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. જ્યારે કેટલાક મંત્રીઓને પ્રમોટ કરવામાં આવી શકે છે. ત્યારબાદ આજે સાંજે નવા અને પ્રમોટ થયેલા કુલ 43 મંત્રીઓને શપથ લેવડાવવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube