નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની ખરાબ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે હાઈ લેવલ બેઠક કરી છે. તેમણે કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે સર્વોચ્ચ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી છે. ઓક્સિજનની સપ્લાઈ વધારવા માટે કામ કરી રહેલા એમ્પાવર્ડ ગ્રુપે પીએમ મોદીએ ઓક્સિજનની ઉપલબ્ધતા અને સપ્લાઈમાં તેજી લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદન જાહી કરી જણાવ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે ઓક્સિજન પ્લાન્ટને જલદીથી જલદી શરૂ કરાવવા માટે રાજ્ય સરકારો સાથે મળી કામ કરે. અધિકારીઓએ પીએમ મોદીને તે પણ જણાવ્યું કે, તે રાજ્યોને પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.'


કેટલો ખતરનાક છે કોરોનાનો  'Indian Strain'? નિષ્ણાંતોએ આપી ચોક્કસ જાણકારી


મહત્વનું છે કે દેશમાં એક દિવસમાં 3,23,144 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા બાદ મંગળવારે કુલ સંખ્યા વધીને 1,76,36,307 થઈ ગઈ છે, જ્યારે રાષ્ટ્રીય સ્તર પર સાજા થવાનો દર ઘટીને 82.54 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડામાં જણાવ્યું કે, સંક્રમણથી 2,771 લોકોના મૃત્યુ બાદ મોતનો આંકડો વધીને 1,97,894 થઈ ગયો છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને  28,82,204 થઈ ગઈ છે, જે કુલ સંક્રમિતોના 16.34 ટકા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube