નવી દિલ્હી : ગામમાં તમારી પ્રોપર્ટી ( Property Dispute) મુદ્દે થનારા ઝગડા ઘટી શકે છે અથવા લગભઘ ખર્ચ ખતમ પણ થઇ શકે છે. પંચાયતીરાજ દિવસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બે મહત્વની યોજનાઓની શરૂાથ કરી છે કે આ ગામો માટે છે. આ પ્રસંગે કૃષી કિસાન કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. આ યોજનાઓ માલિકી યોજના અને ઇગ્રામ સ્વરાજ એપ અને પોર્ટલ. વડાપ્રધામ મોદીએ માલિકી યોજનાની મદદથી ગામોમાં પ્રોપર્ટી મુદ્દે થનારા વિવાદોનાં ઉકેલ કરીને પ્રયાસો કર્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઇ રીતે કરશે કામ
માલિકી યોજના હેઠળ ગ્રામીણ આવાસો અને પ્રોપર્ટીના મેપિંગ કરવામાં આવશે. આ મૈપિંગ ડ્રોન દ્વારા થશે. દરેક પ્રોપર્ટીનો હિસાબ કિતાબ થશે. પ્રોપર્ટીના માલિકને ટાઇટલ ડીડ મળશે અને એક સર્ટિફિકેટ મળશે. વડાપ્રધાન મોદીના અનુસાર તેનો સૌથી મોટો લાભ  થશે કે પોપર્ટી મુદ્દે જે ઝગડાઓ થાય છે તે ઘટી જશે. આ સાથે જ ગામના પ્લાનિંગમાં મદદ મળશે. શહેરોની જેમ જ ગામમાં બેંકો દ્વારા લોન સરળતાથી લેવાયેલા  આ પ્રકારનાં પ્રોપર્ટીની અવેજમાં શહેરોમાં લોન મળી શકે છે. 
માલિકી યોજના હાલ છ રાજ્ય યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉતરાખંડમાં લોન્ચ કરવામાં આવી રહી છે. આ પ્રકારે પાયલોટ પ્રોજેક્ટ છે. આ રાજ્યોમાં યોજનાની સફળતા બાત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. 

ઇ ગ્રામ સ્વરાજ એપ અને પોર્ટલ
બીજી યોજના ઇ ગ્રામ સ્વરાજ એપ અને પોર્ટલ. ઇગ્રામ સ્વરાજની ખઆસિયત છે કે તેમાં ગ્રામ પંચાયત અને ગામ સંબંધિક એક મોટી બાબતના લેખા જોખા છે. જેમ કે કયો પ્રોજેક્ય ચાલી રહ્યો છે, પ્લાનિંકનો કયો સ્ટેજ છે, કેટલું ફંડ છે ક્યાં સુધી તે પુર્ણ થઇ જશે. કેટલા પૈસા અને ક્યાં ખર્ચ થઇ રહ્યો છે તે તમામ માહિતી ઇ ગ્રામ સ્વરાજ એપ પર મળશે. ગામનાં તમામ વ્યક્તિ આ એપનાં માધ્યમથી પોતાની પંચાયતની માહિતી રાખી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube