પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડને મોટી ભેટ આપી અને કુલ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે જ પીએમ મોદીએ દેવઘરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ ઉદ્ધાટન કર્યું જેને 410 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આ એરપોર્ટ ઝારખંડનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ ઉપરાંત પીએમ મોદીએ દેવઘરમાં AIIMS નું પણ ઉદ્ધાટન કર્યું. જ્યાં 250 બેડની સુવિધા છે. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન  અને રાજ્યપાલ રમેશ બૈસ પણ હાજર રહ્યા. 


પીએમ મોદીએ કહ્યું કે બાબા બૈદ્યનાથના આશીર્વાદથી આજે 16 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો. તેનાથી ઝારખંડને આધુનિક કનેક્ટિવિટી, ઉર્જા, સ્વાસ્થ્ય, આસ્થા અને પર્યટનને ખુબ પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. દેશ છેલ્લા 8 વર્ષથી આ વિચાર સાથે કામ કરી રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજમાર્ગ, રેલવે, વાયુમાર્ગ, જલમાર્ગ  દરેક પ્રકારે ઝારખંડને કનેક્ટ કરવાના પ્રયત્નોમાં પણ આ જ વિચાર, આ જ ભાવના સર્વોપરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube