નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા દેશમાં જ્યાં એક બાજુ જ્યુડિશિયરીની ભૂમિકા બંધારણ સંરક્ષકની છે, જ્યારે legislature નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ બંને ધારાઓનો આ સંગલમ, આ સંતુલન દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ કર્યું ઉદ્ધાટન
પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય જજોનું આ સંયુક્ત સંમેલન આપણી બંધારણીય સુંદરતાનું જીવંત ચિત્રણ છે. મને ખુશી છે કે આ અવસરે મને પણ તમારા બધાની સાથે થોડી પળો વિતાવવાનો અવસર મળ્યો. આઝાદીના આ 75 વર્ષોએ જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવ બંનેની ભૂમિકા અને જવાબદારીઓને સતત સ્પષ્ટ કરી છે. જ્યારે જ્યાં પણ જરૂરી હતું, દેશને દિશા આપવા માટે આ સંબંધ સતત evolve થયો છે. 


ન્યાય વ્યવસ્થા કેવી હોવી જોઈએ?
પ્રધાનમંત્રી મોદીએ  કહ્યું કે 2047માં જ્યારે દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણા દશમાં કેવી ન્યાય વ્યવસ્થા જોવા માંગશો? આપણે કયા પ્રકારે આપણી  judicial system ને એટલી સમર્થ બનાવીએ કે તે 2047ના ભારતની આકાંક્ષાઓને પૂરી કરી શકે, તેના પર ખરી ઉતરી શકે, આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિકતા હોવો જોઈએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube