નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઈન્ડિયા પોસ્ટ  પેમેન્ટ બેન્ક' (આઈપીપીબી)નો શુભારંભ કરશે. આઈપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને  3250 એક્સેસે પોઈન્ટ હશે, જ્યાં સમાનાંતર રૂપથી શુભારંભ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.  દેશભરમાં તમામ 1.55 લાખ પોસ્ટ ઓફિસ 31 ડિસેમ્બર 2018 સુધી આઈપીપીબી સિસ્ટમ સાથે  જોડાઈ જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીપીબીને સામાન્ય માણસો માટે એક સરળ, આર્થિક અને વિશ્વસનીય બેન્કના રૂપમાં  સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકિય સમાવેશ  ઉદ્દેશોને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળી શકે. દેશભરમાં ફેલાયેલી પોસ્ટ ઓફિસના 3 લાખથી  વધુ ડાક અને ગ્રામીણ ડાક સેવકોના વિશાળ નેટવર્કથી ખૂબ લાભ મળશે. તેથી આઈપીપીબી  ભારતમાં લોકોને બેન્ક સુધીની પહોંચ વધારવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવશે. 

આઈપીપીબી બચત અને ચાલુ ખાતુ, નાણાં ટ્રાન્સફર, સીધા લાભ ટ્રાન્સફર, બિલ અને ઉપયોગી ચૂકવણી અને સાહસો અને વ્યાપારી ચૂકવણી જેવી સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. આ સુવિધાઓ અને તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેન્કના આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો-એટીએમ, મોબાઇલ બેન્કિંગ, એપ એસએમએસ અને આઈવીઆર)ના માધ્યમથી ઉપલબ્ધ કરાવશે.

મહત્વનું છે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ એકાઉન્ટની સાથે કરંટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ન માત્ર તમારા બચત ખાતા પર વ્યાજ આપશે પરંતુ તે તમને ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા પણ આપશે. તેનો અર્થ છે કે જ્યારે તમે તમારા ઘરમાં બેસીને પણ બેન્ક એકાઉન્ટ ખોલાવી શકશો.